fbpx
  • Advertise
  • Privacy Policy
  • Contact
news.mytro.in
Advertisement
  • Home
  • News
  • Entertainment
  • Food
  • Health
  • Fashion
  • Sports
  • Technology
  • Jobs
  • Classifieds
  • Submit Article
No Result
View All Result
  • Home
  • News
  • Entertainment
  • Food
  • Health
  • Fashion
  • Sports
  • Technology
  • Jobs
  • Classifieds
  • Submit Article
No Result
View All Result
Mytro Gandhinagar
No Result
View All Result
Home Health

વડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”

Team Mytro by Team Mytro
April 9, 2020
in Health
0
વડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”
3.4k
VIEWS
Share on WhatsappShare on FacebookShare on Twitter

ગાંધીનગર : કોણ છે આ ડૉ. પ્રજ્ઞેશ પટેલ?

ડૉ. પ્રજ્ઞેશ પટેલ ગાંધીનગર પાસેના અડાલજના ત્રિમંદિર પરિસરમાં અંબા ટાઉનશીપના બિઝનેસ પાર્કમાં “સહજ આયુર્વેદ એન્ડ પંચકર્મ સેન્ટર” ચલાવે છે. જેઓ આયુર્વેદ સર્જન (શલ્ય તંત્ર) ક્ષેત્રે માસ્ટર ડિગ્રી ધરાવે છે જે તેમણે જામનગર ખાતેની વિશ્વની સૌથી મોટી આયુર્વેદ યુનિવર્સિટીમાથી પ્રાપ્ત કરી છે, તેઓ હાલ કલોલ (જી.ગાંધીનગર)ની અનન્ય કોલેજ ઓફ આયુર્વેદ(કેઆઈઆરસી કેમ્પસ) ખાતે પ્રાધ્યાપક તરીકે પણ સેવા આપી રહ્યા છે અને અગાઉ ગાંધીનગરના કોલવડા ખાતેની ભારતની સૌથી મોટી આયુર્વેદ હોસ્પીટલમાં તેમજ અમદાવાદની સૌથી જૂની અને જાણીતી અખંડાનંદ આયુર્વેદ કોલેજ એન્ડ હોસ્પીટલમાં પણ તેમની સેવાઓ આપી ચૂક્યા છે.

“કોરોના વાયરસ જગતને હંફાવી રહ્યો હોય અને અર્થશાસ્ત્ર, રાજ્યનીતિ કે પ્રજાજીવનના બધાય સમીકરણ ઉપર નીચે કરી નાખી ધસમસી રહ્યો હોય ત્યારે જગતની મહાસત્તાઓ અને વૈશ્વિક પ્રબુદ્ધજનો પણ મોડર્ન મેડીકલ ચિકિત્સાની જટિલ આંટીઘુંટી પર ચર્ચા-વિચાર કરતા થઇ જાય તે સ્વભાવિક છે, લોકોમાં નિરાશા અને ભયનો માહોલ છે ત્યારે આપણા મહાન આયુર્વેદ વિજ્ઞાન જે અર્થવવેદનો ઉપવેદ છે, જેના થકી લોકકલ્યાણનું મહાન કાર્ય થઇ શકે એમ છે. એવો એક જ વર્ગ એનો પક્ષ લઇ શકે, અને કોઈ આયુર્વેદની અધિકૃત માહિતી સમાજ સુધી લાવી શકે, એ છે વૈદ્ય કે આયુર્વેદનો ચિકિત્સક.”

ઉપરોક્ત શબ્દો સાથે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને આયુર્વેદ સર્જન ડૉ. પ્રજ્ઞેશ પટેલ દ્વારા તા. ૨૪મી માર્ચના રોજ એક પત્ર લખવામાં આવ્યો હતો. ડૉ. પ્રજ્ઞેશ પટેલ ગાંધીનગર પાસેના અડાલજના ત્રિમંદિર પરિસરમાં અંબા ટાઉનશીપના બિઝનેસ પાર્કમાં “સહજ આયુર્વેદ અેન્ડ પંચકર્મ સેન્ટર” ચલાવે છે. વૈદ્ય પ્રજ્ઞેશ પટેલના કહેવા મુજબ ૧૯૨૮માં દુનિયાની પહેલી એન્ટી બાયોટિક પેનિસિલિનની શોધ એલેક્ઝાન્ડર ફ્લેમિંગે કરી હતી. એન્ટિબાયોટિક્સની શોધ થતાં જ વિશ્વઅે માની લીધું હતું કે હવે કોઈને ચેપ લઈ લાગે કે કોઈ ઇન્ફેક્શન પ્રસરી નહીં શકે. આ વાતને હજું ૧૦૦ વર્ષ પણ પુરા થયા નથી અને આપણે માની બેઠા છીએ કે એલોપેથી એ જ માત્ર સર્વ તબીબી વિજ્ઞાન છે. જો કે આ એન્ટિબાયોટિક શોધાઇ તે પહેલા પણ વિશ્વમાં ઇન્ફેક્શન થતા હતા અને તેની રિકવરી પણ થતી હતી તે વખતે એલોપેથીનું કોઇ અસ્તિત્વ જેવું નહોતું. તે વખતે દુનિયામાં અસંખ્ય યુદ્ધો લડતાં હતાં અને તે યુદ્ધોમાં માનવી સીધે સીધો શારીરિક રીતે સામેલ થતો હતો જેથી ઘાયલ પણ થતો હતો અને તે વખતે એલોપેથી જેવુ કશું નહોતું છતાં તે સાજો પણ થતો હતો. તે સમયે પણ ઇન્ફેકશન થતા હતા અને રિકવર પણ થતા હતા. તે સમયે સ્વાભાવિક રીતે આયુર્વેદ જ હતું. અત્યારે આપણે એવી માન્યતા બનાવી લીધી છે કે જેનો ઈલાજ એલોપેથીમાં ના હોય તેનો દુનિયામાં કોઈ ઉપાય જ ના હોય તેનું કારણ આપની પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ માનસિકતાને લીધે બની રહ્યું છે, હકીકત તો એ છે કે આયુર્વેદની ઉત્પતિ તો ખુદ બ્રહ્મા એ તેમના સ્મરણ માત્રથી જ કરી છે. (અષ્ટાંગ હ્રદય સંહિતામાં મહર્ષિ વાઘભટ્ટે લખ્યું છે કે “ બ્રહ્મા સ્મૃતવા આયુષો વેદમ: “

આયુર્વેદનો આધાર મુખ્ય બે હેતુઓ પર છે :
૧. સ્વસ્થ્ય સ્વાસ્થ્ય રક્ષણમ (સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યની રક્ષા કરવી) એટલે કે “પ્રિવેંશન”.
૨. આતુર્સ્ય વિકાર પ્રસન્નમ ચ: (રોગી વ્યક્તિના રોગને મટાડવો) એટલે કે “ક્યોર”

કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને હેન્ડ સેનેટાઈઝિંગ એમ ૩ મુદ્દા સિવાય આહાર, વિહાર અને ઔષધનો નિર્દેશ કરવામાં આવ્યો છે. પશ્ચિમ પાસે આયુર્વેદ નથી એટલે એ લોકો ડરે તે સ્વાભાવિક છે.

• આહાર (ડાયેટ) : આયુર્વેદમાં મુખ્ય છ ઋતુ જણાવી છે તે મુજબ અત્યારે વસંત ઋતુ ચાલી રહી છે જેમાં કફદોષ હોવો સામાન્ય બાબત છે. આ દોષના કારણે શરદી, ઉધરસ, અસ્થમા, ગળું દુખવું, વાઇરલ ફીવર થવો વગેરે તકલીફો થાય છે તેથી આ ઋતુમાં એવો ખોરાક લેવો જોઈએ કે જે કફદોષને ઓછો કરે તો તેમાથી બહાર નીકળી શકાય. અત્યારે ડાયેટ માટે જવ, બાજરો અને મકાઇ ખાવી જોઈએ. કડવા અને તૂરા રસવાળા શાકભાજી જેવા કે વેલવાળા શાકભાજી જેમાં પરવાર, કારેલાં, કંકોડા, દૂધી, ગલકા, તુરીયા, મેથી, પાલક, તાંદળજો વગેરેનું સેવન કરવું જોઈએ. જીરાસર ચોખા, જૂના ચોખા ઉપરાંત કઠોળમાં માગ, મઠ, મસૂર, તુવર અને ચણા લઈ શકાય. ફળમાં દાડમ અને દ્રાક્ષ ગુણકારી છે. પાણી એક ચમચી સૂંઠ નાખીને ઉકાળેલું લેવું જોઈએ તથા દૂધની તમામ બનાવટ એટલે કે ડેરી પ્રોડક્ટસ અત્યારે લેવી જોઈએ નહીં. હા, ગાયનું દૂધ તેમાં એક ચમચી હળદર નાખીને જ લેવું જોઈએ. અત્યારે તમામ પ્રકારના કોલ્ડ ડ્રિંક્સનો ત્યાગ કરવો હિતકારી છે. દહી, મેંદો, અડદ, માંસાહારમાં બિફ, પોર્ક અને ફિશ વગેરે પચવામાં ભારે ખોરાક છે જે અત્યારે ટાળવા જોઈએ.

• વિહાર (જીવનશૈલી-લાઇફસ્ટાઇલ) : વસંત ઋતુમાં દિનચર્યામાં ફેરફાર કરવો જોઈએ જેમાં સવારે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠી જવું, નિયમિત હળવો વ્યાયામ કરવો, હળવા યોગ-પ્રાણાયામ કરી શકાય પરંતુ બપોરે જમી લીધા પછી સૂઈ જવાની આદતને છોડી દેવી. આ સાથે વાયુશુદ્ધિ એટલે કે માસ ફ્યુમિગેશન કરવું જે માટે ઔષધિય ધૂપ દ્વારા હવાનું શુદ્ધિકરણ કરવાથી વિષાણુઓ તેમાં પ્રવાસ કરી શકતા નથી તેથી તેનું પ્રસરણ અટકી જાય છે. આપણે શરીરની અંદર અને બહાર વાઇરસને અનુકૂળ હોય તેવા વાતાવરણને બદલી નાખીએ તો વાઇરસ ટકી શકતો નથી. ઔષધિય ધૂપ માટે ગૂગળ, અગુરુ, સરસવ, જવ, કડવા લીમડાના પાન, હરડે, કઠ, ઘોડાવ્રજ, ગાયનું ઘી વગેરે ગાયના છાણના છાણાંને સળગાવી તેના પર નાખી ઘરમાં ધૂપ કરવો જોઈએ.

• ઔષધ (મેડિસિન) : આયુર્વેદમાં આ પ્રકારની પરિસ્થિતી માટે “અભયાદિ ક્વાથ” એટલે કે એક પ્રકારનો ઉકાળો ઉપલબ્ધ છે જે શાલ્ન્ધર સંહિતામાં સૂચવેલ છે. આ ક્વાથ તેના નામ મુજબ જ મહારોગોમાથી બહાર કાઢી અભય આપનારો છે, આ ક્વાથનું સેવન માનવીને વાઇરલ ફીવરથી બચાવે છે, ફેફસાના વધુ પડતાં ઇન્ફેકશનને મટાડે છે. શરદી અને ઉધરસને તો તરત જ મટાડે છે. જો માત્ર પ્રિવેંશન માટે લેવો હોય તો ૧ સમયે અને ઇન્ફેક્ષન હોય તો દિવસમાં બે વાર તેનું સેવન કરવું જોઈએ. યાદ રાખો કે આયુર્વેદમાં પરેજી ખૂબ મહત્વની છે જે ઔષધની તાકાતને વધારે છે. (એલોપેથીમાં પણ પરેજી વગર એકલી દવા અસર નથી કરતી જેમ કે ડાયાબિટિશ હોય ત્યારે ગળ્યું ના ખાવું, હ્રદયરોગ હોય ત્યારે ઘી-તેલનો ત્યાગ કરવો વગેરે)

વૈદ્ય પ્રજ્ઞેશ પટેલે અંતમાં જણાવ્યુ છે કે “આપણે હાલ કોરોનાથી ડરી રહ્યા છીએ પરંતુ વિશ્વમાં સૌથી મોટા કીલર તો મેલેરિયા, ટીબી, કેન્સર વગેરે રોગો છે જેની દવા શોધાઈ હોવા છતા તેના કારણે થતો મૃત્યુ આંક હજુ પણ ઘણો ઊંચો છે જ્યારે વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યા મુજબ કોરોના કોવિદ-૧૯ વાઇરસથી થતો મૃત્યુ આંક તો માત્ર ચાર ટકા જેટલો જ છે તેથી તેનાથી ડરવાની કોઈ જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે.

 

Previous Post

ગાંધીનગરમાં ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં પ્રાણીઓને કોરોનાથી બચાવવા સેનેટાઈઝિંગ

Next Post

લૉકડાઉનમાં ઘરની બહાર નીકળતાં પોલીસના દંડા પહેલા સાપથી બચવું પડશે

Next Post
લૉકડાઉનમાં ઘરની બહાર નીકળતાં પોલીસના દંડા પહેલા સાપથી બચવું પડશે

લૉકડાઉનમાં ઘરની બહાર નીકળતાં પોલીસના દંડા પહેલા સાપથી બચવું પડશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

Trending

શું તમે સ્વાદના શોખીન છો? તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.

શું તમે સ્વાદના શોખીન છો? તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.

June 12, 2019
વડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”

વડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”

April 9, 2020
ગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.

ગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.

November 27, 2019
સામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ

સામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ

May 11, 2019
ગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું

ગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું

May 6, 2019

Recent News

બ્રિટિશરોને ઘૂંટણીએ પાડનાર બિરસા મુંડા એટલે આદિવાસી જાતિના દિવ્ય ભગવાન..!

બ્રિટિશરોને ઘૂંટણીએ પાડનાર બિરસા મુંડા એટલે આદિવાસી જાતિના દિવ્ય ભગવાન..!

September 18, 2023
ક્યારે પકડવું, ક્યારે અટકવું, ક્યારે છટકવું આટલું આવડી જાય તો કાયમી જન્માષ્ટમી..!

ક્યારે પકડવું, ક્યારે અટકવું, ક્યારે છટકવું આટલું આવડી જાય તો કાયમી જન્માષ્ટમી..!

September 11, 2023
યુરિન થેરપી..! બોલો, શિવામ્બુ પીવું એ તબિયત માટે સારું કે ખરાબ..?

યુરિન થેરપી..! બોલો, શિવામ્બુ પીવું એ તબિયત માટે સારું કે ખરાબ..?

September 4, 2023
‘સોશિયલ મીડિયાની સકારાત્મકતા’ વિશે  સંજય થોરાતે ઓનલાઈન વક્તવ્ય આપ્યું

‘સોશિયલ મીડિયાની સકારાત્મકતા’ વિશે સંજય થોરાતે ઓનલાઈન વક્તવ્ય આપ્યું

September 1, 2023
Mytro Gandhinagar

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Check our landing page for details.

Follow Us

  • Advertise
  • Privacy Policy
  • Contact

Copyright © 2020. Mytro Gandhinagar.

No Result
View All Result
  • Home
  • News
  • Entertainment
  • Quotes
  • Jokes
  • Food
  • Health
  • Fashion
  • Sports
  • Technology
  • Jobs
  • Classified
  • Submit Article

Copyright © 2020. Mytro Gandhinagar.