fbpx

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કોટેશ્વર ખાતે આવાસ યોજનાનો લોકાર્પણ તથા ગૃહ પ્રવેશ કાર્યક્રમ યોજાયો

ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ગત તાજેતરમાં કોટેશ્વર ખાતે આવાસ યોજનાના લોકાર્પણ સહિત બપોરે ૧૨.૦૦ કલાકે લોક સુવિધાના કામોનું લોકર્પણ અને ગૃહપ્રવેશ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગાંધીનગર મહાનગરપાલિકાના સ્ટે. કમિટીના ચેરમેન જશવંતભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત આયોજિત કાર્યક્રમમાં AMTS ના ચેરમેન, ઔડાના ચેરમેન, ઔડાના મુ.કા.અ., પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત કાર્યક્રમમાં સ્ટે. ચેરમેન દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પ્રાસંગિક સંબોધન કરવામાં આવ્યું હતું ત્યારબાદ કાર્યક્રમમાં વડાપ્રધાનના વડોદરા ખાતેના મુખ્ય કાર્યક્રમનું લાઇવ પ્રસારણ બતાવવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત AHP ઘટક હેઠળ EWS-II પ્રકારના રૂ. ૩૧.૨૬ કરોડના ખર્ચે તૈયાર થયેલ ૨૬૬ આવાસોનું લોકાર્પણ તથા ૧૫ લાભાર્થીને કબજા સોંપણી પત્ર આપવામાં આવ્યા.

વધુમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત BLC ઘટક હેઠળ આર્થિક રીતે પછાત વર્ગના લાભાર્થીઓના રૂ. ૭૭.૨૮ કરોડના ખર્ચે તૈયાર થયેલ ૨૨૦૮ આવાસોનું લોકાર્પણ અને ગૃહ પ્રવેશ કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતમાં સ્થળ પર આવાસોની તક્તીનું પણ અનાવરણ કરવામાં આવ્યું.

હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ

Download Mytro App https://bit.ly/mygan20

Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtu

Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

WordPress › Error

There has been a critical error on this website.

Learn more about troubleshooting WordPress.